કોરોના સામે લડવા માટે ભારતને વધુ એક શસ્ત્ર પ્રાપ્ત થયું છે. એક તરફ કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધતા જઇ રહ્યાં હોવાથી ભારતના લોકોમાં ડરનું વાતાવરણ ઉભું થઇ રહ્યું છે. ત્યારે રાહતના અહેવાલ પણ મળી રહ્યાં છે. કોરોના સંક્રમણની સારવારમાં અતિ ઉપયોગી થઇ શકે તેવી રશીયન રસીને ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે હવે ત્રીજી રસીના ઉપયોગને મંજૂરી મળી ગઈ છે.
રસીસંબંધિત બાબતોના નિષ્ણાતોની સમિતિ ‘સબજેક્ટ ઍક્સપર્ટ કમિટી’ (SEC)એ રશિયન રસી સ્પુતનિક-Vના ઇમરજન્સિ ઉપયોગ માટેની હૈદરાબાદની ડૉ. રેડીઝ્ લૅબની અરજીનો સ્વીકાર કર્યો હતો. ભારતમાં ડૉ. રેડીઝ લૅબ દ્વારા આ રસીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જે મૉર્ડના અને ફાઇઝરની રસી બાદ આ ત્રીજી રસીને મંજૂરી અપાઈ છે અને તે સૌથી વધારે અસરકારક સાબિત થઇ શકે છે.
ભારતમાં ડૉ. રેડીઝ લૅબ દ્વારા ઉત્પાદિત આ રસીની અસરકારકતા 92% ટકા છે.
ભારતીય દવાનિયામકની કમિટીએ સ્પુતનિક-Vને ઇમરજન્સી સારવારમાં ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપવા બેઠક યોજી અને રસીના ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો અંગે વિચાર કર્યો હતો. આ પહેલાં 1 એપ્રિલે યોજાયેલી છેલ્લી બેઠકમાં SECએ ડૉ. રેડ્ડીઝ લૅબને રસીના તમામ ઇમ્યુનોઝેનસિટી પૅરામિટરના ડેટા રજૂ કરવા કહ્યું હતું.
નોંધનીય છે કે સ્પુતનિક-Vનું નામ સોવિયેટ સંઘના પ્રથમ કુત્રિમ ઉપગ્રહ પરથી રાખવામાં આવ્યું છે.
આ રસી કોરોનાના વાઇરસને કમજોર કરવાના સિદ્ધાંત પર કામ કરે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વિકસાવે છે.
રશીયાની આ રસી સ્વસન રોગ માટે જવાબદાર એડેનોવાયરસ-26(Ad26) અને એડેનોવાયરસર – 5 (Ad5) પર આધારીત છે. તેનો ઉપયોગ કોરોના યારસના સોર્સ કોવ-2 સ્પાઇક પ્રોટીન સામે મજબૂત પ્રતિરક્ષા માટે કરવા થાય છે. તેને બે ડોઝ 21 દિવસના અંતરે આપવામાં આવે છે. સ્પૂટનિક-વી ના બંને ડોઝમાં અલગ અલગ દવા આપવામાં આવે છે. આ વેક્સિનથી શરીરમાં રહેલો એડેનો વાયરસ નષ્ટ થઇ જાય છે. જેથી સંક્રમિત વ્યક્તિને શ્વસન રોગ થતો નથી.
સ્પૂટનિક-વી ને આરબ અમિરાત, બેલારૂસ, સર્વિયા, બોલિવિયા, આર્જેન્ટિના, વેનેઝુએલા, પેલેસ્ટાઇન જેવા દેશોએ મંજૂરી આપી દીધી છે. રોચક વાત એ છે કે વેક્સિનને પહેલા રશીયન સેટેલાઇટ સ્પૂટનિક કે જે 1957માં લોંચ કર્યો હતો તેનું નામ આપવામાં આવ્યું છે. નોંધપાત્ર વાત છે કે રસીને લઇને પણ અમેરિકા અને રશીયા વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.
જો કે આ સ્પર્ધાનો ફાયદો ભારતને થયો છે અને દેશની સરકાર કોરોનાને હરાવવા માટે એક પછી એક પગલાં ભરી રહ્યી છે.